$BSR
"આંખ થકી આશિષ દે, શબ્દોની ભાષા મૌન આચરણથી ઉપદેશ, ગુરુ વિના આપે કોણ ?" પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાએ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય જાહેર પ્રવચન કે ઉપદેશ આપ્યો નથી. "બાપાનું જીવન એજ તેમનો ઉપદેશ." ફક્ત તેમની અમી નજર પડે ત્યાં આશીર્વાદનો ધોધ વહે. આવુ સમર્થ સદગુરુ વિના બીજુ કોણ કરી શકે ? પૂ.બાપા શ્રીના માતાશ્રી નું નામ શિવકુવરબા હતું, તેમજ પિતાશ્રીનું નામ હીરાદાસજી હતું. ઈ.સ. 1941-1942 આસપાસ બગદાણા ગામમાં પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાનું આગમન થયું ત્યારે બગદાણા ગામ અતિશય પછાત અને વ્યવસ્થાની દ્રષ્ટીએ સાધનથી પણ ન પહોચી શકાય તેવું ગામ હતું. ઈ.સ. 1958માં વિનોબા ભાવે દ્વારા ભારતભરમાં પુરજોશમાં ભૂદાન ચળવળનું આંદોલન ચલાવવામાં આવ્યું ત્યારે બાપા શ્રીએ જમીન ખરીદી કરીને જમીન ભુદાનમાં અર્પણ કરી હતી.